*મારા બાદ મારી ઔલાદ ઉપર જે કઈ વીતશે તેની હું અલ્લાહ ને શિકાયત કરું છું*

*મારા બાદ મારી ઔલાદ ઉપર જે કઈ વીતશે તેની હું અલ્લાહ ને શિકાયત કરું છું* .

ﻋﻦ ﺍﺑﻦ ﻋﺒﺎﺱ ﻗﺎﻝ : ﻗﺎﻝ ﻋﻠﻲ ‏( علیه ‌السلام ‏) ﻟﺮﺳﻮﻝ ﺍﻟﻠﻪ ‏( صلی اللہ علیہ و آلہ ‏) : ﻳﺎ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ ﺇﻧﻚ ﻟﺘﺤﺐ ﻋﻘﻴﻼ؟ ﻗﺎﻝ : ﺇﻱ ﻭﺍﻟﻠﻪ ﺇﻧﻲ ﻷﺣﺒﻪ ﺣﺒﻴﻦ , ﺣﺒﺎ ﻟﻪ , ﻭﺣﺒﺎ ﻟﺤﺐ ﺃﺑﻲ ﻃﺎﻟﺐ ‏( علیه ‌السلام ‏) ﻟﻪ , ﻭﺇﻥ ﻭﻟﺪﻩ ﻟﻤﻘﺘﻮﻝ ﻓﻲ ﻣﺤﺒﺔ ﻭﻟﺪﻙ , ﻓﺘﺪﻣﻊ ﻋﻠﻴﻪ ﻋﻴﻮﻥ ﺍﻟﻤﺆﻣﻨﻴﻦ , ﻭﺗﺼﻠﻲ ﻋﻠﻴﻪ ﺍﻟﻤﻼﺋﻜﺔ ﺍﻟﻤﻘﺮﺑﻮﻥ , ﺛﻢ ﺑﻜﻰ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ ‏( صلی اللہ علیہ و آلہ ‏) ﺣﺘﻰ ﺟﺮﺕ ﺩﻣﻮﻋﻪ ﻋﻠﻰ ﺻﺪﺭﻩ , ﺛﻢ ﻗﺎﻝ : ﺇﻟﻰ ﺍﻟﻠﻪ ﺃﺷﻜﻮ ﻣﺎ ﺗﻠﻘﻰ ﻋﺘﺮﺗﻲ ﻣﻦ ﺑﻌﺪﻱ ----------. -------
ﺍﻷﻣﺎﻟﻲ
ﻟﻠﺼﺪﻭﻕ ﺹ 128

*હ. અલી અ.સ. એ હ.રસુલે ખુદા સ.અ.વ.* ને કહ્યું :

“યા રસુલલ્લાહ ! શું આપ અકીલ ને ચાહો છો ?”

આપ સ.અ.વ. :

“હા, અલ્લાહ ની કસમ ! હું તેને બે કારણ થી મોહબ્બત કરું છું.

૧. તેના થી મોહબ્બત ના લીધે અને
૨. *હ.અબુ તાલિબ અ.સ. ની તેઓ થી મોહબ્બત ના લીધે.*

અને *બેશક તેના ફરઝંદ તમારા (હ.અલી અ.સ. ના ) ફરઝંદ ની મોહબ્બત ના લીધે શહીદ થશે. પછી મોમીનો ની આંખો તેઓના ઉપર રડશે અને મુકર્ર્બ ફરિશ્તાઓ તેઓના ઉપર સલવાત મોકલશે.”*

પછી હ.રસુલેખુદા સ.અ.વ. એ ગીર્યા કર્યું અને આપ ના આંસુઓ આપની મુબારક છાતી ઉપર વહેવા લાગ્યા. પછી ફરમાવ્યું :

*“મારા બાદ મારી ઔલાદ ઉપર જે કઈ વીતશે તેની હું અલ્લાહ ને શિકાયત કરું છું.”*

(અલ અમાલી લીસ્સદુક પા ૧૨૮ )

Comments

Popular posts from this blog

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

ઝાએરીન ખાસ વાંચે...