અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.
*“અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.”*
ﻋﻦ ﺍﻟﺒﺎﻗﺮ ( علیه السلام ) ﺃﻧﻪ ﻗﺎﻝ : ﻛﺎﻥ ﻋﺒﺪ ﺍﻟﻤﻠﻚ ﺑﻦ ﻣﺮﻭﺍﻥ ﻳﻄﻮﻑ ﺑﺎﻟﺒﻴﺖ، ﻭﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ( علیه السلام ) ﻳﻄﻮﻑ ﺑﻴﻦ ﻳﺪﻳﻪ , ﻻ ﻳﻠﺘﻔﺖ ﺇﻟﻴﻪ، ﻭﻟﻢ ﻳﻜﻦ ﻋﺒﺪ ﺍﻟﻤﻠﻚ ﻳﻌﺮﻓﻪ ﺑﻮﺟﻬﻪ ﻓﻘﺎﻝ : ﻣﻦ ﻫﺬﺍ ﺍﻟﺬﻱ ﻳﻄﻮﻑ ﺑﻴﻦ ﺃﻳﺪﻳﻨﺎ ﻭﻻ ﻳﻠﺘﻔﺖ ﺇﻟﻴﻨﺎ؟ ! ﻓﻘﻴﻞ : ﻫﺬﺍ ﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ! ﻓﺠﻠﺲ ﻣﻜﺎﻧﻪ ﻭﻗﺎﻝ : ﺭﺩﻭﻩ ﺇﻟﻲ , ﻓﺮﺩﻭﻩ , ﻓﻘﺎﻝ ﻟﻪ : ﻳﺎ ﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ﺇﻧﻲ ﻟﺴﺖ ﻗﺎﺗﻞ ﺃﺑﻴﻚ، ﻓﻤﺎ ﻳﻤﻨﻌﻚ ﻣﻦ ﺍﻟﻤﺼﻴﺮ ﺇﻟﻲ ! ﻓﻘﺎﻝ ﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ( علیه السلام ) : ﺇﻥ ﻗﺎﺗﻞ ﺃﺑﻲ ﺃﻓﺴﺪ ﺑﻤﺎ ﻓﻌﻠﻪ ﺩﻧﻴﺎﻩ ﻋﻠﻴﻪ، ﻭﺃﻓﺴﺪ ﺃﺑﻲ ﻋﻠﻴﻪ ﺑﺬﻟﻚ ﺁﺧﺮﺗﻪ، ﻓﺈﻥ ﺃﺣﺒﺒﺖ ﺃﻥ ﺗﻜﻮﻥ ﻛﻬﻮ ﻓﻜﻦ , ﻓﻘﺎﻝ : ﻛﻼ، ﻭﻟﻜﻦ ﺻﺮ ﺇﻟﻴﻨﺎ ﻟﺘﻨﺎﻝ ﻣﻦ ﺩﻧﻴﺎﻧﺎ , ﻓﺠﻠﺲ ﺯﻳﻦ ﺍﻟﻌﺎﺑﺪﻳﻦ ﻭﺑﺴﻂ ﺭﺩﺍﺀﻩ ﻓﻘﺎﻝ : ﺍﻟﻠﻬﻢ ﺃﺭﻩ ﺣﺮﻣﺔ ﺃﻭﻟﻴﺎﺋﻚ ﻋﻨﺪﻙ ! ﻓﺈﺫﺍ ﺭﺩﺍﺀﻩ ﻣﻤﻠﻮﺀ ﺩﺭﺭﺍً ﻳﻜﺎﺩ ﺷﻌﺎﻋﻬﺎ ﻳﺨﻄﻒ ﺍﻻﺑﺼﺎﺭ ! ﻓﻘﺎﻝ ﻟﻪ : ﻣﻦ ﺗﻜﻮﻥ ﻫﺬﻩ ﺣﺮﻣﺘﻪ ﻋﻨﺪ ﺍﻟﻠﻪ ﻳﺤﺘﺎﺝ ﺇﻟﻰ ﺩﻧﻴﺎﻙ؟ ! ﺛﻢ ﻗﺎﻝ : ﺍﻟﻠﻬﻢ ﺧﺬﻫﺎ، ﻓﻼ ﺣﺎﺟﺔ ﻟﻲ ﻓﻴﻬﺎ .
ﺍﻟﺨﺮﺍﺋﺞ ﻭﺍﻟﺠﺮﺍﺋﺢ ﺝ 1 ﺹ 255 ,
*હ. ઈ. મોહમ્મદ બાકિર અ.સ.* :
“અબ્દુલ મલિક બિન મરવાન ખાને કાબા નો તવાફ કરી રહ્યો હતો અને *હ.ઈ. ઝૈનુલ આબેદીન અ.સ.* તેની સામે તવાફ કરી રહ્યા હતા પરંતુ આપ અબ્દુલ મલિક તરફ ધ્યાન નહોતા આપી રહ્યા. અબ્દુલ મલિક ઈમામ ના ચહેરા ને નહોતો ઓળખતો. આથી તેણે પૂછ્યું કે :
“આ કોણ છે કે જે આપણી સામે તવાફ કરી રહ્યા છે પરંતુ આપણા તરફ ધ્યાન પણ નથી આપી રહ્યા ?”
લોકો : “ તેઓ અલી ઇબ્નુલ હુસૈન અ.સ. છે.”
અબ્દુલ મલિક બેસી ગયો અને તેણે કહ્યું : “તેઓ ને મારી પાસે લાવો.”
લોકો ઈમામ ને તેની પાસે લઈ ગયા.
અબ્દુલ મલિક : અય અલી ઇબ્નુલ હુસૈન ! હું આપ ના પિતા નો કાતિલ નથી તો પછી કઈ બાબત આપ ને મારી પાસે આવવા થી રોકે છે ?”
ઈમામ : “મારા પિતા ના કાતિલે તેન કાર્ય થી તેની દુનિયા ને ખરાબ કરી જ્યારે કે તેના કરતુત ને લીધે મારા પિતા એ તેની આખેરત ખરાબ કરી. અગર તું પણ તેની જેવો થવા ચાહતો હો તો થઈ શકે છે.”
અબ્દુલ મલિક : “કદી નહી. બલકે આપ અમારી સાથે જોડાઈ જાઓ અને અમારી દુનિયા ને માણો.”
આથી ઈમામ બેસી ગયા અને આપની રીદા ને ફેલાવી અને કહ્યું :
*“અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.”*
*આથી રીદા ઝળહળતા મોતીઓ થી ભરાઈ ગઈ. તેની ચમક એટલી હતી કે લોકો ને લગભગ અંધ બનાવી દીધા હતા.*
પછી ઈમામે તેને કહ્યું :
“જે કોઈ ની અલ્લાહ ની નજીક આવી હુરમત હોય તેને તારી દુનિયા ની શું જરૂર હોય ?”
પછી ફરમાવ્યુ :
“અય અલ્લાહ ! તું આ (પરત ) લઈ લે કે મને આની કોઈ જરૂર નથી.”
(અલ ખરાએજો વલ જરાએહ ભાગ ૧ પા ૨૫૫ )
Comments
Post a Comment